Popular Posts

Thursday, June 11, 2020

સિદ્ધરાજ , સભ્યતા અને સંસ્કૃતિ

સન ૧૧૩૭ , સ્થળ અણહિલવાડ પાટણ , પૂર્વે થી ઉગતા દેદીપ્યમાન સૂર્યનારાયણ નું પ્રથમ કિરણ , મોઢેરા માં બનેલ સુર્યમંદિર ના ગર્ભગૃહ ને પ્રજ્જવલિત કરી ચૂક્યું હતું. ૧૦૦ વર્ષ જૂના એ મંદિરનો દેખાવ સૂર્ય દેવ જેવોજ વૈભવશાળી હતો. ઉપર થી આજે તો એનો અપૂર્વ શણગાર કરાયો હતો. સમગ્ર ગુર્જર પ્રદેશ માં અનેરો ઉત્સાહ હતો. એવો ઉત્સાહ કે જે અપૂર્વ વિજય બાદ પણ કોઈ રાજ્ય ન મનાવે કારણ.... કારણ "માં" ગુર્જરીને વ્યાકરણ ગ્રંથ મળ્યો. ધન કરતાં જ્ઞાન અને સભ્યતા ને ઊંચેરા માનતા મહારાજે એ ગ્રંથ ની હાથી પર શોભા યાત્રા કાઢી. ૧૧૩૪ માં માળવા વિજય બાદ મહારાજ સિદ્ધરાજ ઊંડા અભ્યાસ માં ડૂબેલા રહેતા. માળવા થી પ્રાપ્ય જ્ઞાનકોશો માં અભ્યાસ દ્વારા એમણે જાણ્યું કે ગુજરાતી ભાષા ને પણ એક વ્યાકરણ ગ્રંથની આવશ્યકતા છે. જે હેમચંદ્ર સુરિ નામના ખ્યાતિ પ્રાપ્ત જૈન મુનિ એ કરી બતાવ્યું. વૈષ્ણવ પિતા અને જૈન માતા ના જ્ઞાનસાગર સમાં એ પુત્ર ના એ વિક્રમી કાર્યને મહારાજે હાથી ની અંબાડી પર શોભાયમાન કરાવી આખા પાટનગર મા ફેરવ્યું. કેવો મહાન સાહિત્ય પ્રેમ , કેવી મહાન જ્ઞાન સાધના, કેવી શિક્ષિત અને સભ્ય પ્રજા કે જેણે આવું ન ભૂતો ન ભવિષ્યતિ જેવા સમારંભ નું આયોજન કર્યું.

સભ્યતા - સાહિત્ય , શિલ્પ  અને કળા નો સુમેળ છે. જે તે પ્રદેશ મા વસતી પ્રજા ની બુદ્ધિશક્તિ અને સમૃદ્ધિ  એ સભ્યતા ની મહાનતા ના પરિચાયક છે. 

સમર્થ ડાબેરી ઇતિહાસકાર શ્રી ડૉ. રામચંદ્ર ગુહા ના હાલ ના ટ્વીટ વિશે હજારો લોકો એ રોષ ઠાલવ્યો. એ બાદ એમનું કહેવું એવું છે કે સૌ એ પેલા સામ્યવાદી ફિલિપ સ્પ્રાટ ને જાણીતો બનાવ્યો. કદાચ એ ઓ એમ માનતા હોય કે " बदनाम हुए तो क्या , नाम तो हुआ" એમના ટ્વીટ અને એથી ટપકતી ભાવના મુજબ અલ્પસંસ્કારી ગુજરાતી ભાષા ના બહોળા શબ્દકોશ માં એમની મનોવૃતિ માટે એક શબ્દ છે " નફ્ફટાઈ". 

જો આપણે એમ વિચારીએ કે એનો જવાબ આપવા ની કોઈ જરૂર નથી તો એ યાદ રાખવું કે એક ટ્વીટ માં મારી માં , માસી અને દાદી એ ત્રણેનું અપમાન કરાયું.  સંસ્કારિતા ના વટવૃક્ષ સમી મારી દાદી ભારતીયતા ની બે દિકરી ગુજરાતી સભ્યતા અને બંગાળી સભ્યતા એમ ત્રણ.  એટલે જવાબ જરૂરી છે.

મોટાભાગે ગાંધીજી પર લખી પેટિયું રળતા ગુહા , કદાચ ભૂલી ગયા કે જેને પ્રતાપે ઘર નો ચૂલો બાળે છે એ એક ગુજરાતી પર લખાયેલ પુસ્તકોનો જ પ્રતાપ છે. આજે તો એવું પણ કહી શકાય કે આવા માનસિક બીમાર વ્યક્તિ ને અમદાવાદ યુનિવર્સિટી માં પદભાર લેતા વિરોધ કરાયો તે પણ સારૂં જ થયું. 
ગાંધી કદાચ સ્વર્ગે થી કહેતા હશે 
" મારીજ કમાણી ની મલાઈ ખાતો કૂતરો આજે મારી માં સામે ભસે છે."


 કૃષ્ણ કહે છે " અધર્મ નો નાશ કરવા આચરવામાં આવતો અધર્મ ,અંતે તો ધર્મજ છે" એ હથિયાર નો ઉપયોગ કરી "અસભ્યતા ના પ્રત્યુતર માટે આચરાયેલી અસભ્યતા , અંતે તો સભ્યતાજ છે " એમ વિચારી અદમ્ય જોમથી ઉકળતા શ્રોણીત ને લીધે સભ્ય ગુજરાતી ભાષાની મર્યાદા તૂટી હોય તો ક્ષમા. 


Note.
જ્ઞાન સાચી સંપત્તિ છે. કારણ " स्वदेशी पुज्यते राजा , विद्वान सर्वत्र पूज्यते।
અને સોક્રેટિસ કહે છે, 
"If a man is proud of his wealth, he should not be praised until it is known how he employs it."

 નિષ્કર્ષ એવો નીકળી શકે કે
" જો વ્યક્તિ ને એના જ્ઞાન વિશે ગર્વ છે તો એના વખાણ ત્યાં સુધી ન થવા જોઈએ જ્યાં સુધી એ ખાતરી ન થાય કે એ જ્ઞાન ને ક્યાં માર્ગે વાપરે છે."



Tuesday, June 2, 2020

સત્તા પક્ષ , વિપક્ષ અને સંસદ

૧૯૪૬ , ડિસેમ્બર ૬ એ ગઠિત સંવિધાન સભાના સભ્યોની પ્રલંબ   ચર્ચાઓ, શ્રી સર બેનેગલ નરસિં રાઉ ના અમૂલ્ય દિશાનિર્દેશ,  શ્રી સુરેન્દ્ર નાથ મુકરજી ના અથાગ પરિશ્રમ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ના કુશળ નેતૃત્વ થકી ભારતીય ગણરાજ્ય રૂપી આ દેશ ને એનું સંવિધાન મળ્યું. એ બંધારણના રૂપે આપને બ્રિટિશ વેસ્ટમિન્સ્ટર પદ્ધતિની સરકારોની કાર્યવાહી અપનાવી.

અનેક લોકસભા ક્ષેત્રમાંથી ચૂંટાયેલ જન પ્રતિનિધિ પોતાના નેતા તરીકે વડાપ્રધાન ચૂંટે અને એ પોતાની કેન્દ્રીય મંત્રીમંડળની રચના કરે. વિપક્ષ રચનાત્મક ભૂમિકા માં રહી સત્તપક્ષની દરેક નીતિ ને બુદ્ધિના ત્રાજવે દેશહિત સર્વોપરિ માની ને જોખે. અત્યંત પ્રભાવશાળી અને શ્રેષ્ઠ જણાતી આ પદ્ધતિ ભારતીય સંસદે દિશાવિહીન બનાવી.

જ્યારે જ્યારે દેશમાં ભારે બહુમતીથી સરકારો બની ત્યારે ત્યારે વિપક્ષ બિન - અસરદાર રહ્યો.  એ માટે બે મુખ્ય કારણો છે. પહેલું કે ભારે બહુમતી ના જોરે સત્તાધારી પક્ષ દરેક ખરડા ને કાયદા મા રૂપાંતરિત કરી શક્યું. બીજું કે વિપક્ષ તર્કસંગત ચર્ચા ને બદલે વિરોધપક્ષ માત્ર બની રહ્યો. ઉદાહરણ તરીકે હાલમાં કોરોના સામેની લડાઈમાં સરકારે અપનાવેલા પગલાં નો વિપક્ષે વિરોધ કર્યો પણ એમના મતે કયા પગલાં અસરકારક નીવડે તેનો એ વિરોધમાં લેશમાત્ર અંશ નહિ. પ્રજા એ જો આજની સરકારને મુલવવી હોય તો એ ક્યાં માપદંડ થી મૂલવે? શું કોઈ પણ સરકારી નીતિ સામે વિપક્ષ ની નીતિ છે? ટુંકમાં આપણે માત્ર આરોપ - પ્રત્યારોપ ની રાજનીતિ નો શિકાર બન્યા.

ઉલ્ટું જ્યારે જ્યારે સરકારો પાતળી બહુમતીથી કે ગઠબંધનથી બની ત્યારે ત્યારે ( અમુક અપવાદો ને બાદ કરતાં) અનિર્ણાયક બની. સરકાર માટે દેશહિત કરતાં સત્તાસ્થાને બિરાજી રહેવું વધુ જરૂરી બન્યું. કારણ વિરોધ પોતાની વોટ બેન્ક જાળવી રાખવા કરાયો. કોઈ રચનાત્મક કે નીતિગત આલોચના નહિ પણ માત્ર કોરો વિરોધ. વિપક્ષ ના લોકસભા સભ્યો એ સદંતર ભૂલે છે કે એ પોતે ચૂંટાઈને આવ્યા છે અને એ પણ કંઈ નહિ તો એમના મતવિસ્તાર ના નાગરિકો પ્રત્યે જવાબદાર છે. 

સંસદ માં થતી ચર્ચાઓ કરતાં જનમાનસ પર ટીવી પર ની ચર્ચા ઓ વધુ અસર જન્માવે છે. પણ ટીવી પર પોતાના પક્ષનો વિચાર પ્રસ્તુત કરતો વ્યક્તિ કોઈ બિંદુવાર આલોચના કરી શકતો નથી. કારણકે વિપક્ષ પોતાના કોઈ નેતા ને - જે એ વિષયમાં તજજ્ઞ હોય એને પ્રતીનિતી રજૂ કરવા આગળ કરતો નથી. એથીજ કુમાર વિશ્વાસ ના શબ્દો માં " ગરીબીની રેખા ની ચર્ચા , રેખાની ગરીબી સુધી પહોંચી જાય છે".

આ મુસીબત નિવારવા નો કોઈ માર્ગ ખરો? તો જવાબ છે હા.  વેસ્ટમિન્સ્ટર પદ્ધતિ અંતર્ગત જો છાયા મંત્રી ( shadow minister)  પદ્ધતિ લાગુ કરી શકીએ તો દરેક સરકારી નીતિ ની સામે વિપક્ષની પ્રતિનીતી ઉપલબ્ધ થાય. પ્રજા બંને ને મૂલવી શકે અને વિપક્ષ નો વિરોધ રચનાત્મક બને. ટીવી ચર્ચા માં વિપક્ષી પ્રવકતા  પોતાનો પક્ષ અસરકારકતા થી રાખી શકે અને સરકાર એ મુજબ ખરડાને બદલી પણ શકે. એક સાચા લોકતંત્ર નું નિર્માણ થાય. આની એક ઝલક ૨૦૧૪ ની મોદી સરકાર ના વિદેશમંત્રી સ્વ. સુષ્મા સ્વરાજ અને વિપક્ષના લોકસભા સભ્ય શશી થરૂર વચ્ચે ની લોકસભાની ચર્ચાઓમાં જોવા મળતી. જો વિપક્ષ પોતાના સંસદ સભ્યો માંથી દરેક મંત્રાલય માટે એક સભ્યને નામાંકિત કરે તો વિપક્ષની નીતિ પણ ઉજાગર થાય. દરેક ખરડો વધુ સશકત કાયદો બને. અને છલકે કંઈ નહિ તો આઈસ્ક્રીમ ખાતા પહેલા પણ સ્વાદ કરી જોતી જનતાને આવનારી ચૂંટણીઓમાં વિવેકપૂર્વક મતદાન કરવાનો મોકો મળે.

-સુષેણ વાસવભાઈ