Popular Posts

Thursday, April 30, 2020

મમ્મી પપ્પા અને ભગવાન

*મમ્મી , પપ્પા અને ભગવાન*

           દુનિયા માં સૌથી વધારે taken for granted  કોઈ હોય તો એ ભગવાન. ૧૦૦ રૂપિયાનો bargain કરેલો પ્રસાદ જે ખરેખર તો પૂજાપો વેચનારા ને ત્યાં બુટ ચપ્પલ સચવાય એટલે લીધો હોય તે ચડાવી , પોતાનું નાળિયેર પોતાનેજ પાછું મળે એનું પૂરતું ધ્યાન રાખી, દુનિયાભરની વસ્તુ ઓ માંગી લઈએ. અને જો એમ નહિ થાય તો " ભગવાન તું મારી સાથેજ આવું કેમ કરે?" એવું પણ કહીએ. કારણકે જાણીએ કે એ ભગવાન બહુ બગડે તો નહિજ.

      દરેક ભગવાન માટે એક દિવસ નક્કી. દા. ત. સોમવાર મહાદેવનો, મંગળવાર ગણપતિ .... એ મુજબ. એના સિવાય બીજા દિવસે ભૂતિયો એને જોવા નહિ જાય. એમાં પણ પાછું " યાર જરા  વહેલી સવારે જઇ આવીએ કારણકે ભીડ ઓછી હશે , પછી તને ખબરજ છે ને બપોરે પાર્કિંગ ની બહુ રામાયણ" એમ કહીએ. સાલું એ પણ ભૂલી જઈએ કે જે ગાડીનું પાર્કિંગ કરવાનું , એ લેવા લોન પાસ ન્હોતી થતી ત્યારે પેલો ૧૦૦ રૂપિયાનો bargained  પ્રસાદ એજ મંદિરે ચડાવેલો.

      કોઈક જગ્યાએ સાંભળેલું ( ક્યાં તે યાદ નથી આવતું) કે મંદિર માં બે જગ્યાએ ભિખારીઓ હોય. "એક બહાર ૧૦ રૂપિયા વાળા ને એક અંદર ભગવાન પાસે ૧૦ હજાર થી કરોડો વાળા. " એમાં મારા હિસાબે બહાર વાળા થોડા ચોખ્ખા દિલના કારણકે ભીખ ખુલ્લેઆમ તો માંગે. અંદર વાળા તો એક આંખ ચપ્પલ પર મગજ ગાડી માં ( જો પાર્કિંગ નજીક હોય તો દર્શન કરતા કરતા પણ ગાડી લોક કરવા રિમોટ દબાવે) ને પાછા કહે " ભગવાન તારાથી ક્યાં કઈ છૂપુ છે. હવે તુજ રસ્તો કાઢ".

     દંભ ની પરાકાષ્ઠા એ બેઠેલા આપણે કંઇક આવાજ છીએ. સંસ્કૃત માં એક વાક્ય છે. જે ૯૯ ટકા બધાનેજ ખબર હશે. "मातृ देवो भव , पितृ देवो भव। " એ બહુ વિચારવા જેવું છે. એક શબ્દ બહુ અગત્યનો છે " આત્મા". એનો એક અર્થ ભાષાની દૃષ્ટિ હું એમ કરું કે " મૂળ ભાવના". ઉપરના વાક્યમાં એ આત્મા સાથે મને વાંધો નથી પણ એની અત્યારની ભાવના વિશે અને ખરેખર તો એ એ ભાવના પાછળની વિચારધારા પર છે. ગેરસમજ કરો એ પહેલાં કહી દઉં કે મમ્મી પપ્પા ને ભગવાન સ્વરૂપ માનવા એ કોઈ સુંદર પક્ષી ને સોનાના પાંજરા માં પૂરવા જેવું છે. કારણ એ કે એવું માનવા પાછળની આપણી વિચારસરણી એ કે એમને ભગવાન બનાવી એમના માણસ તરીકેના બધા અધિકાર છીનવી લેવા.
 ઉપરની આખી વાત માં ભગવાન ની જગ્યાએ મમ્મી પપ્પા મૂકી પાછું વાંચી જાઓ.

મમ્મી પપ્પા માણસ છે. એમના સ્વાભાવિક ગમા અણગમા છે, એમની પોતાની શ્રેષ્ઠતા અને કમજોરીઓ પણ છે. એજ એમને બીજા બધાથી અલગ પાડે છે. એજ મને ગમે છે.

છેલ્લે સૂરદાસજી ને યાદ કરી એટલું લખવાનું મન થાય.

"मों सम कौन कुटिल ,खल , कामी ,
जे तनु दियो तेहि बिसरायो ऐसो निमक हरामी|

No comments:

Post a Comment