Popular Posts

Thursday, April 30, 2020

ઇતિહાસ, ભારત અને આપણે

"Those who cannot remember the past are condemned to repeat it"
સ્પેનિશ મૂળના વિચારક જ્યોર્જ સંતાયનનું આ વાક્ય મનમાં વાગોળતા વાગોળતા આગળ વાંચવું.

26 જાન્યુઆરી ૧૯૫૦ માં દીને, ભારતીય રાજ્ય બંધારણ લાગુ થતાજ દેશ લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશ બન્યો. સૌથી વિચિત્ર વાત એ કે સત્તા પરિવર્તન ના મૂળ ૧૯૪૬ કેબિનેટ મિશન ની બેઠકો માં રોપાયા હોવા છતાં ત્યારથી તે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધીનો સમય લગભગ આપણી જાણ બહાર રહ્યો.
 કેબિનેટ મિશન ની શરતો મુત્સદી થી અપનાવી સરદાર પટેલે અંગ્રેજોના વહેણ કોંગ્રેસ તરફી વાળવા માં ખાસી એવી સફળતા મેળવી. ( Ref. Transfer of power in India by V.P Menon) ઝીણા ના બધા દાવપેચ ધર્યા ના ધર્યા રહ્યા અને કેબિનેટ મિશન સંવિધાન સભા અને કેર ટેકર સરકાર ની ભૂમિકા કોંગ્રેસ ને આપી રવાના થયું.
ડઘાયેલા ઝીણાએ પાકિસ્તાન ની માંગ બુલંદ કરી દેશ આખા માં ધાર્મિક હિંસા ભડકાવવા નું કામ કર્યું. વાઇસરોય સામે લગભગ બાળક જીદ કરે તેમ ધમપછાડા કર્યા કેર ટેકર સરકારમાં હિસ્સેદાર બનવા. પાછું માંગ્યું ગૃહમંત્રાલય ! આ આખી પૂર્વભૂમિકા એટલે બાંધવી પડી કે આ માંગણીની ચર્ચા માં સરદાર પટેલ સાહેબે આપેલો જવાબ આજે દરેક ભારતપ્રેમી એ યાદ રાખવા જેવો છે.
સરદાર પટેલ સાહેબ મુજબ મુસ્લિમ લીગ ને ગૃહમંત્રાલય ના આપી શકાય કારણકે જો તેઓ સત્તા ની બહાર હોવા છતાં દેશવ્યાપી ખૂનામરકી ફેલાવી શકતા હોય તો તે જો સત્તા માં આવે તો આ ખૂનામરકી ક્યાં લગી પહોંચે?

શાહીન બાગ , JNU, AMU, જામિયા આ બધા સાથે આને સરખાવી જુઓ.

મુદ્દો નો ૨. જરા વધુ ઇતિહાસ માં ઉતરીએ.  અરબી સમુદ્ર માં પોર્ટુગીઝ રંજાડ ઓછી કરવા અને મુખ્યત્વે નફો વધારવા અંગ્રજોને જહાંગીર ના દરબારમાં સફળ બનાવનાર કોઈ બીજું નહિ પણ સુરત ની તત્કાલીન મહાજનસભા. Lobbying શબ્દ નવો પણ આપણે નફા ને દેશ થી ઉંચો ગણી ઘણી વાર એને વાપર્યો. ( Ref. Discovery of India by J M Nehru)

આર્થિક મોરચે કદાચ આજે દેશ પાછો પડી રહ્યો છે. પણ એ મોરચે થી ઉગરવું શક્ય છે.  અને આપણે જરૂર એમાંથી ઉગરી જવાના!

ઉદાહરણ તરીકે
 ૧.  ૫ શિલિંગ નો કાળા મરી નો ભાવ વધારો જીરવી ના શકનાર અંગ્રજો  ૧૫૦ વર્ષ માં લગભગ વિશ્વવિજેતા બન્યા.
 ૨. ૧૯૧૮ ના અંતે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થતાં લગભગ પાયમાલ જર્મની એ ૧૯૪૬ ( ૨૮ વર્ષ) માં ઇંગ્લેન્ડ સિવાય લગભગ આખું યુરોપ જીતી લીધું. 
       
        આ બંને સફળતા નું કારણ માનો કે ન માનો પણ " સો ટચ નો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ".

આની સામે આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રો જેમણે સંસ્કૃતિ પર થઈ રહેલા આઘાતની અવગણતા કરી અને પરાધીન થયાં .
ઉદાહરણ

 ૧. લગભગ તત્કાલીન ગ્રીસ સુદ્ધા ને ઘૂંટણિયે પાડી દેનાર અને આર્થિક રીતે લગભગ વિશ્વ GDP ના 50% ધરાવનાર મૌર્ય સામ્રાજ્ય માત્ર ચોથી પેઢી થી સમેટાવા નું શરુ થયું. કારણ સનાતન વિચારધારા ત્યાગી નવા ઉદભવેલા મહાવીર અને તથાગત ના માર્ગ નું અનુસરણ. યાદ રહે કે ચંદ્રગુપ્ત મોર્ય સંથારો લઈ સિધાવ્યો અને છેલ્લો ગણનાપાત્ર રાજા અશોક બુદ્ધ ધર્મ અંગીકાર કરી લગભગ નિશસ્ત્ર રાજ્ય નો રાજા બન્યો રહ્યો.


 ૨.  ભારત અને અગ્નિ એશિયા થી થતી નિકાસ ઉપરાંત ચીની રેશમમાર્ગ બંને સાથે સંબંધ ધરાવતું અને ભારે ધનાઢ્ય પર્શિયા economy બચાવતા વિધર્મી થયું. ખૂબ પૈસો હોવા છતાં હિજરત કરવી પડી. કારણ આરબ પ્રદેશ માં ઇસ્લામ ના ઉદભવ અને તલવારની ધારે થઈ રહેલા વિધ્વંસ ને લગભગ અવગણ્યો. અને એ દાનવ જ્યારે વકર્યો ત્યારે હિજરત સિવાય કોઈ રસ્તોજ ન રહ્યો.

     ૫ ટ્રિલિયન economy ૨૨ ની જગ્યા એ ૩૨ માં બનીશું તો વાંધો નહિ પણ હાલ થઈ રહેલા શાહીન બાગ અને જામિયા જેવા ગઝનીઓ ને નહિ પડકારો તો  તમારું આર્થિક મહાસત્તા નું સોમનાથ ૧૦૦% લૂંટાઈ જશે.

હાલના કહેવાતા ( મારા મતે કોહવાતા) વિચારકો હમેશા એક વાત કરે  હિન્દુઓને ભડકાવી, ઉશ્કેરી અને ડરાવી ને ધાર્મિક ધ્રુવીકરણ કરાઈ રહ્યું છે.
એમને કેટલાક સવાલો પૂછવા જેવા છે.
 ૧.  ભારતમાં રહેતી માઇક્રો માઈનોરીટી પારસી ઓ સામે ભડકેલા, ઉશ્કેરાયેલા અને ડરેલા કે ડરાવતા હિન્દુ ઓને જોયા?

 ૨. એકવાર અકબરે રાજ હુકમ બહાર પાડ્યો. "દરેક દરબારી એ બિલાડી પાળવી અને દર મહિને તેની સ્વસ્થતા ની નોધ દરબાર માં કરાવવી. જો બિલાડી નું સ્વાસ્થ્ય કથળે તો દરબારી નું આવી બનશે." સૌ દરબારી એ તેનું પાલન કર્યું. દૂધ પીને બિલાડીઓ હૃષ્ટપુષ્ટ થઈ. માત્ર બીરબલ ની બિલાડી હાડપિંજર જેવી હતી. અકબરે પ્રશ્ન કર્યો કે તારી બિલાડી આવી કેમ? બીરબલે કહ્યું મારી બિલાડી દૂધ નથી પિતી એ તો દૂધ જોતાજ નાસી જાય છે. અકબરે ખરાઈ કરી જોઈ અને સાચેજ બીરબલ ની બિલાડી દૂધ જોતાજ નાસી. અકબર એને પકડી ને દૂધ પાસે લાવ્યો તો તેણે અકબર અને બધા દરબારી ને ન્હોર ભર્યા. સૌ દરબારી એ બીરબલ ને પૂછ્યું કે આમ કેમ? બીરબલે કહ્યું કે જ્યારે બિલાડી ઘરે લાવ્યો ત્યાર થી ૩-૪ વાર મેં એનું મોઢું ઉકળતા દૂધમાં બોળ્યું. તેથી દૂધ જોતાજ તે ઉશ્કેરાઈ જાય છે.  ઘોરી થી ઔરંગઝેબ સુધીના ઉકળતા દૂધ થી દાઝેલા હિન્દુ ઓ જો  એવા દૂધ જોઈને બિલાડી ની જેમ  ન્હોર ભરે તો વાંક હિન્દુઓનો નહિ પણ એ એમનું કામ જેઓ એવા દૂધ ના રખેવાળો છે અને એમણે દૂધ ની શીતળતા માટે હિન્દુ ઓનો વિશ્વાસ જીતવો જોઈએ. સવાલ એટલોજ કે શું દૂધ થી ના દાઝેલી બિલાડી દૂધ જોઈને ઉશ્કેરાઈ ખરી?


આ બધાનો જવાબ સૌ એકજ આપશે " એતો ઇતિહાસની વાત છે. ક્યાં સુધી એને પકડી ને ચાલશો?" એટલેજ

સૌથી પહેલી લાઈન ફરી વાંચી જવા વિનંતી.

No comments:

Post a Comment